Friday 25 March 2016

ओम नमः शिवाय

यह कोई नहीं जानता कि भगवान कैसे दिखते हैं. यह मनुष्य की अवधारणाएं हैं कि भगवान का रंग रूप किसी विशेष प्रकार का है. उस परमात्मा रूपी रूह को पहचानना और उस तक पहुंचना केवल मुश्किल ही नहीं बल्कि एक मात्र नामुमकिन है लेकिन एक रास्ता है जिसे पार कर मनुष्य भगवान तक पहुंच सकता है
लोगों का मानना है कि भगवान शिव, जो भोले शंकर के नाम से पुराणों में विख्यात हैं वे आज भी हमारे बीच हैं लेकिन उन तक पहुंचना आसान नहीं है. भोले शंकर आज भी अपने परिवार के साथ विशाल व कठोर ‘कैलाश पर्वत’ पर रहते हैं लेकिन पहुंच कर उनके दर्शन करना नामुमकिन सा है.पुराणों व शास्त्रों के अनुसार कैलाश पर्वत के आसपास कुछ ऐसी शक्तियां हैं जो उसके वातावरण में समाई हुई हैं. क्या आप जानते हैं कि आजतक इस कठोर एवं रहस्यमयी पर्वत की चोटी पर कोई ना पहुंच पाया सिवाय एक तिब्बती बौद्ध योगी मिलारेपा के जिन्होंने 11वीं सदी में इस यात्रा को सफल बनाया था.
शिव के घर, कैलाश पर्वत से जुड़े ऐसे अनेक तथ्य हैं जिनपर महान वैज्ञानिकों द्वारा शोध किये जा रहे हैं लेकिन ऋषि मुनियों के अनुसार उस भोले के निवास के रहस्य को भांप पाना किसी साधारण मनुष्य के वश में नहीं है.वैज्ञानिकों द्वारा किये गए एक शोध के मुताबिक दुनिया में एक्सिस मुंड नामक अवधि है. यह एक्सिस मुंड आकाश और पृथ्वी के बीच संबंध का एक बिंदु है जहां चारों दिशाएं मिल जाती हैं. वैज्ञानिकों के अनुसार इस एक्सिस मुंड पर अलौकिक शक्ति का प्रवाह होता है और आप उन शक्तियों के साथ संपर्क कर सकते हैं. यह बिंदु कुछ और नहीं बल्कि कैलाश पर्वत ही है जहां शिव की कृपा से अनेक शक्तियों का प्रवाह होता है.
कैलाश पर्वत की वास्तविक विशेषताओं की बात करें तो इस विशाल पर्वत की ऊंचाई 6714 मीटर है. ऊंचाई के संदर्भ में कैलाश पर्वत दुनिया भर में मशहूर माउंट एवरेस्ट से ऊंचा नहीं है लेकिन इसकी भव्यता ऊंचाई में नहीं, बल्कि उसके आकार में है. यदि आप कैलाश पर्वत को ध्यान से देखें तो इसकी चोटी की आकृति बिलकुल शिवलिंग जैसी है जो वर्षभर बर्फ की सफेद चादर से ढका रहता है.कैलाश पर्वत की चोटी के बाद यदि हम इसके भूभाग को देखें तो यह चार महान नदियों से घिरा है. सिंध, ब्रह्मपुत्र, सतलज और कर्णाली, यह सभी नदियां इस महान एवं पवित्र पर्वत को छू कर गुजरती हैं. नदियों के साथ-साथ कैलाश पर्वत दो सरोवरों को भी अपनी अस्मिता में बांधता है. मानसरोवर तथा राक्षस झील, ऐसे सरोवर जो दुनिया भर में अपनी विभिन्नता के लिए प्रसिद्ध हैं, यह दोनों सरोवर इस पर्वत की शान को और भी बढ़ाते हैं.कैलाश पर्वत के बारे में तिब्बत मंदिरों के धर्म गुरु बताते हैं कि कैलाश पर्वत के चारों ओर एक अलौकिक शक्ति का प्रवाह होता है. यह शक्तियां कोई आम नहीं बल्कि अद्भुत हैं. कहा जाता है कि आज भी कुछ तपस्वी इस शक्तियों के माध्यम से आध्यात्मिक गुरुओं के साथ संपर्क करते हैं.
केवल कैलाश पर्वत ही नहीं बल्कि इस पर्वत से सटे 22,028 फुट ऊँचे शिखर और उससे लगे मानसरोवर को ‘कैलाश मानसरोवर तीर्थ’ कहते हैं. यहां उपस्थित ऋषि बताते हैं कि कैलाश मानसरोवर उतना ही प्राचीन है जितनी प्राचीन हमारी सृष्टि है. कैलाश पर्वत की तरह ही कैलाश मानसरोवर के वातावरण में भी कुछ शक्तियों का प्रवाह होता है. यह एक प्रकार की अलौकिक जगह है जहां पर प्रकाश तरंगों और ध्वनि तरंगों का समागम होता है जो कि ‘ॐ’ की प्रतिध्वनि करता है.कहा जाता है कि गर्मी के दिनों में जब मानसरोवर की बर्फ़ पिघलती है तो एक अजब प्रकार की आवाज़ सुनाई देती है. स्थानीय लोगों का मानना है कि यह मृदंग की आवाज़ है. मान्यता यह भी है कि कोई व्यक्ति मानसरोवर में एक बार डुबकी लगा ले तो वह रुद्रलोक पहुंच सकता है। 

Tuesday 15 March 2016

સમય જ જીવન છે


ગુમાવેલી સંપત્તિ ફરી કમાઈ શકાય છે. ભુલાઈ ગયેલી વિદ્યા ફરી યાદ કરી શકાય છે. ગુમાવેલું સ્વાસ્થ્ય યોગ્ય ઈલાજ દ્વારા પાછું મેળવી શકાય છે પરંતુ ગયેલો સમય કોઈ રીતે પાછો આવતો નથી અને પછી પશ્ચાતાપ બાકી રહી જાય છે. આજે આપણે કહીએ છીએ કે સમય નથી, સમયનો અભાવ છે પરંતુ સમય તો ચોવીસ કલાકનો દરરોજ બધાંને મળે છે સમયનો અભાવ નથી, અભાવ આસ્થાનો   છે. ગામગપાટાં માટે સમય છે, સિનેમા જોવા માટે સમય    છે, એકબીજાનાં ટાટિયાં ખેંચવા માટે સમય છે, બજારમાં ચાની લારી પર બેઠાં રહીએ છીએ, ચૂંટણીનાં બૂથમાં બેઠા રહીએ છીએ. પણ સ્વાધ્યાય માટે આપણે સમય નથી. આપણી સ્કૂલ ખોલવાની, હોસ્પિટલ ખોલવાની લાયકાત નથી પણ આપણે દિવસમાં થોડો સમય દેશ, ધર્મ, સમાજ માટે વિતાવીએ. આપણે ક્યારેક ગરીબોનાં ઘેર જઈએ. અનાથાલાયો અને હોસ્પિટલની મુલાકાતો લઈએ અને તેમની શક્ય એટલી સેવા કરીએ. આપણે ગમે તેટલાં રૃપિયા આપીએ પણ પ્રેમ અને સહાનુભૂતિભર્યા શબ્દો તેઓને વધારે સાંતવન આપશે અને આપણાં હૃદય વિશાળ બનશે.
મૃત્યુના સમયે એક વિચારશીલ વ્યક્તિએ પોતાનું જીવન વ્યર્થ જવા અંગે અફસોસ પ્રગટ કરતાં કહ્યું કે 'મેં સમય નષ્ટ કર્યો, હવે સમય મારો નાશ કરી રહ્યો છે.' નિયમિત રૃપથી વ્યવસ્થિત ગતિથી ચાલતી કીડી પણ લાંબી મંઝીલ પાર કરી લે છે. સમય દૈવી સંપત્તિ છે જ્યારે સોનું-ચાંદી, ધન ભૌતિક સંપત્તિ છે તેથી સમયનો સદુપયોગ કરવો જોઈએ.  જો જીવનમાં   સંપૂર્ણ દિવસોમાંથી નિરૃપયોગી  સમય કાઢી નાખવામાં આવે તો શું બચશે? બાલ્યાવસ્થા, વૃધ્ધાવસ્થા, સુવાનો સમય, બીમારીના દિવસો જો જીવનનાં દિવસોમાંથી કાઢી નાંખવામાં આવે તો કેટલાં દિવસ બાકી રહી જાય છે? સમયને કોઈને કોઈ ઉપયોગી કાર્યમાં લગાવી રાખવાની આદત માનવ જીવનની સૌથી મોટી શ્રેષ્ઠતા છે. સમય જ જીવન છે.
ગુમાવેલી સંપત્તિ ફરી કમાઈ શકાય છે. ભુલાઈ ગયેલી વિદ્યા ફરી યાદ કરી શકાય છે. ગુમાવેલું સ્વાસ્થ્ય યોગ્ય ઈલાજ દ્વારા પાછું મેળવી શકાય છે પરંતુ ગયેલો સમય કોઈ રીતે પાછો આવતો નથી અને પછી પશ્ચાતાપ બાકી રહી જાય છે. આજે આપણે કહીએ છીએ કે સમય નથી, સમયનો અભાવ છે પરંતુ સમય તો ચોવીસ કલાકનો દરરોજ બધાંને મળે છે સમયનો અભાવ નથી, અભાવ આસ્થાનો   છે. ગામગપાટાં માટે સમય છે, સિનેમા જોવા માટે સમય    છે, એકબીજાનાં ટાટિયાં ખેંચવા માટે સમય છે, બજારમાં ચાની લારી પર બેઠાં રહીએ છીએ, ચૂંટણીનાં બૂથમાં બેઠા રહીએ છીએ. પણ સ્વાધ્યાય માટે આપણે સમય નથી. આપણી સ્કૂલ ખોલવાની, હોસ્પિટલ ખોલવાની લાયકાત નથી પણ આપણે દિવસમાં થોડો સમય દેશ, ધર્મ, સમાજ માટે વિતાવીએ. આપણે ક્યારેક ગરીબોનાં ઘેર જઈએ. અનાથાલાયો અને હોસ્પિટલની મુલાકાતો લઈએ અને તેમની શક્ય એટલી સેવા કરીએ.
આપણે ગમે તેટલાં રૃપિયા આપીએ પણ પ્રેમ અને સહાનુભૂતિભર્યા શબ્દો તેઓને વધારે સાંતવન આપશે અને આપણાં હૃદય વિશાળ બનશે. મૃત્યુના સમયે એક વિચારશીલ વ્યક્તિએ પોતાનું જીવન વ્યર્થ જવા અંગે અફસોસ પ્રગટ કરતાં કહ્યું કે 'મેં સમય નષ્ટ કર્યો, હવે સમય મારો નાશ કરી રહ્યો છે.' નિયમિત રૃપથી વ્યવસ્થિત ગતિથી ચાલતી કીડી પણ લાંબી મંઝીલ પાર કરી લે છે. સમય દૈવી સંપત્તિ છે જ્યારે સોનું-ચાંદી, ધન ભૌતિક સંપત્તિ છે તેથી સમયનો સદુપયોગ કરવો જોઈએ.  જો જીવનમાં   સંપૂર્ણ દિવસોમાંથી નિરૃપયોગી  સમય કાઢી નાખવામાં આવે તો શું બચશે? બાલ્યાવસ્થા, વૃધ્ધાવસ્થા, સુવાનો સમય, બીમારીના દિવસો જો જીવનનાં દિવસોમાંથી કાઢી નાંખવામાં આવે તો કેટલાં દિવસ બાકી રહી જાય છે? સમયને કોઈને કોઈ ઉપયોગી કાર્યમાં લગાવી રાખવાની આદત માનવ જીવનની સૌથી મોટી શ્રેષ્ઠતા છે. સમય જ જીવન છે.

Saturday 30 January 2016

વિચાર વીથિકા

સહજાનંદ સ્વામીએ અનેક પતિત લોકોને સુધારી એમને ભક્તિના માર્ગે વાળ્યા હતા

અયોધ્યા પાસે આવેલા છપૈયા નામના ગામમાં સંવત ૧૮૩૭ની ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીની તિથિએ સ્વામી સહજાનંદનો જન્મ થયો હતો. એમનું બાળપણનું નામ ઘનશ્યામ હતું. બાળપણથી જ એમને ઘરસંસારમાં મન લાગતું નહી. અગિયાર વર્ષની ઉંમરે એમણે ઘરનો ત્યાગ કર્યો હતો.
હિમાલયની પહાડીમાં ગંડકી નદીના કિનારે એમણે બાલયોગીના રૃપે તપસ્યા કરી. ત્યાં એમને ગોપાલ નામના એક યોગી મળી ગયા જેમણે એમને યોગવિદ્યા પણ શીખવી. એ વખતે ઘનશ્યામનું નામ પડયું હતું. નીલકંઠ બ્રહ્મચારી. નીલકંઠ તરુણ અવસ્થામાં જ ભારતના તીર્થોના દર્શન માટે નીકળી પડયા હતા.
નીલકંઠ બ્રહ્મચારી ભારતનું ભ્રમણ કરી જૂનાગઢ જિલ્લાના લાજપુર ગામમાં આવ્યા. ત્યાં રામાનંદ સ્વામીનો આશ્રમ હતો. જો કે તે વખતે રામાનંદ સ્વામી કચ્છમાં હતા અને એમના શિષ્ય મુક્તાનંદ સ્વામી આશ્રમ સંભાળતા હતા. નીલકંઠ બ્રહ્મચારી એમના આશ્રમમાં રહ્યાં.
રામાનંદ સ્વામી કચ્છથી પધાર્યા ત્યારે તેમણે નીલકંઠ બ્રહ્મચારીને વિધિપૂર્વક દીક્ષા આપી અને એમને નવા બે નામ પ્રદાન કર્યા. એક નામ સહજાનંદ સ્વામી અને બીજું નામ નારાયણ મુનિ રામાનંદ સ્વામી સહજાનંદ સ્વામીની અલૌકિક પ્રતિભાને ઓળખી ગયા હતા એટલે એમને બહુમાન કરતા એકવાર કહ્યું હતું- 'અમે તો ડુગડુગી વગાડનારા હતા, ખરા વેશના ભજવનારા તો હવે આવ્યા છે.
અમે તો માત્ર પાયાની બે ઇંટો જ મૂકી છે, સાત માળની હવેલી તો એ જ ઊભી કરશે.' એકાદ વર્ષ પછી સંવત ૧૮૫૮ની કારતક સુદ ૧૧ના રોજ તેમણે સહજાનંદ સ્વામીનો પોતાની ગાદી પર અભિષેક કર્યો અને તેમને ધર્મશાસનની ધુરા સોંપી.
સહજાનંદ સ્વામીએ ભક્તિનો પ્રસાર શરૃ કર્યો. લગભગ વીસ, એકવીસ વર્ષની વયે તેમણે ભક્તોને નવો મંત્ર આપ્યો- સ્વામિનાાયણ, સ્વામિનારાયણ જપો. ભક્તો 'સ્વામિનારાયણ નારાયણ, નારાયણ' જપતા એ સાથે એમને ભાવસમાધિ લાગી જતી ! સમાધિમાં  એમને સહજાનંદ સ્વામીમાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણના દર્શન થઇ જતા.
એટલે તે એમને 'સહજાનંદ સ્વામી' તરીકે નહી પણ 'સ્વામિનારાયણ' ભગવાન તરીકે જ બોલાવતા. સહજાનંદ સ્વામી ઊંચ- નીચ કે અમીર- ગરીબનો ભેદ કદાપિ જોતા ન હોતા. એ તો દલિત અને પતિત ગણાતા લોકો પર વિશેષ પ્રેમભાવ રાખતા હતા.
એમણે અનેક લોકોના દૂષણો અને વ્યસનો દૂર કરાવી એમને સન્માર્ગે વાળી એમને ભક્ત બનાવ્યા હતા. ખેડા જિલ્લાનો તે વખતનો ચોર- લૂંટારાનો સરદાર જોબનપગી પણ લૂંટફાટ બંધ કરી તેમનો ભક્ત બની ગયો હતો. વડતાલમાં સ્વામી મહારાજ એને ઘેર જ મુકામ કરતા. જોબન પગીએ પોતાની બધી જ જમીન વડતાલનું મંદિર બનાવવા આપી દીધી હતી. એકવાર કોઇકે જોબનપગીને કહ્યું- 'અલ્યા, તું શું સમજીને સ્વામીનારાયણ ધર્મનો અનુયાયી થયો ?
તને કોઇ લાભ થયો ? શું તમારા સ્વામિનારાયણ ગધેડાની ગાય કરી શકે છે ?' જોબનપગીએ એને  જવાબ આપતા કહ્યું હતું- 'નજરે જુઓ છો તો ય શું કામ પૂછો છો ? આ જોબન વડતાલો ચોરોનો સરદાર ! એને સ્વામિનારાયણે ભગત બનાવ્યો ને હાથમાં માળા પકડાવી ! તે ગધેડાની ગાય કરી કે નહિ ? આનાથી મોટો કયો ચમત્કાર તમારે જોઇએ ?'
ગઢડામાં એભલ ખાચરની જમીનના બે ભાગીદારો હતા. એક દાદા ખાચર અને બીજા જીવા ખાચર. બન્ને સહજાનંદ સ્વામીના પરમ ભક્તો. છતાં સ્વામીજીને દાદા ખાચર પ્રત્યે વધુ લાગણી હતી. જીવા ખાચરને ઘણી વાર થતું કે હું પણ દાદા ખાચર જેવી જ ભક્તિ કરું છું તો સ્વામીજી આવો ભેદ કેમ કરતા હશે ?
એકવાર સ્વામીજી એ બન્ને સાથે ધર્મવાર્તાલાપ કરતા હતા ત્યાં એકાએક વંટોળ આવ્યો. તેઓ સત્સંગ કરતા હતા તેની સમીપમાં માર્ગ પર કોઇ સાધુ રસોઇ કરતો હતો પણ પવનને કારણે ચૂલાનો અગ્નિ વારંવાર ઓલવાઇ જતો અને ધૂમાડો થતો. અગ્નિને ફૂંકી ફૂંકીને સાધુની આંખો લાલચોળ થઇ ગઇ હતી અને આંખમાંથી પાણી વહી જતું હતું.
સહજાનંદ સ્વામીએ આ જોયું એટલે જીવા ખાચરને કહ્યું- 'તમે આ સાધુઓને માટે કોઇ ધર્મશાળા બનાવી આપોને ?' જીવા ખાચરે કહ્યું- 'આવા તો કેટલાય સાધુઓ- વૈરાગીઓ રસ્તા પર ફરતા રહેતા હોય છે. એમને માટે ધર્મશાળા બનાવવા હું કંઇ નવરો નથી.
કેટલાને માટે બનાવવી ?' એ પછી સહજાનંદ સ્વામીએ દાદા ખાચરને કહ્યું- 'તમને શું લાગે છે ? તમારી આ સાધુઓને માટે ધર્મશાળા બનાવવાની ઇચ્છા ખરી ?' દાદા ખાચરે તરત જવાબ આપ્યો- 'મહારાજ, એમાં ધર્મશાળા બંધાવવાની ક્યાં જરૃર છે ?' સ્વામીજીએ પૂછયું- 'કેમ, જરૃર નથી ?' દાદા ખાચરે કહ્યું-'ધર્મશાળા બંધાવા જેટલો સમય વીતાવવાની ક્યાં જરૃર છે ? હું મારું ઘર જ એમને આપી દઉં છું !'
સહજાનંદ સ્વામીએ કહ્યું- 'તમારું ઘર આપી દેશો તો તમે ક્યાં રહેશો ?' દાદા ખાચરે કહ્યું- 'હું તમારા ભેગો રહીશ ! બટકું રોટલો તો મળી જ રહેશે !' સહજાનંદ સ્વામીએ જીવા ! ખાચર તરફ જોયું અને કહ્યું- 'જીવા ખાચર, હવે તમને સમજાયું ને કે હું દાદા ખાચર પ્રત્યે કેમ વધુ પ્રેમભાવ ધરાવું છું ? જીવા ખાચરે માથું નમાવીને કહ્યું- 'ખરું છે, મારા કરતાં દાદા ખાચરની ભક્તિ ચાર વેંત ઊંચી છે !'

''મનનો મહિમા''


મન ચેતના છે. મન વગરનો માનવી, ચેતન વગરનો જડ છે. મનનો મહિમા અપરંપાર છે. મનનો વિસ્તાર ત્રિલોક છે. તે ધારે ત્યાં જઈ શકે છે અને પલકમાં પાછું ફરી શકે છે. જો પાણીનો કોઈ રંગ હોય તો મનનો રંગ હોય, પાણીને જે રંગમાં ભેળવો તેવું તે બની જાય છે. તો મન સ્વાદ, રસ જેવું છે. મધુર, અમ્લ, લવણ, કટુ, તિકત અને કશાય. આમ મન જે બિબામાં ઢળે તે તેવું છે. પરીક્ષામાં વિદ્યાર્થી પાસ થઈ એ-૧ ગ્રેડ મેળવે તો કહે કે મેં મનમાં ધાર્યું જ હતું. શિક્ષક કહે મારું મન જ કહેતું હતું કે તું એ-૧ ગ્રેડ લાવીશ જ. માતા-પિતા કહે અમારું મન તો રાજીના રેડ થઈ ગયું. આમ સૌના પર મનની અસર છે. ''મન કે હારે હાર હૈ, મનકી જીતે જીત, કહે કબીર પાઈએ મનકી પરતીત 'કબીર'.' મન ચંચળ છે. મન મર્કટ જેવું છે. મન વગરનું મળવું અને ભીંત સાથે ભટકાવું બરાબર છે. મન મેળ હોય તો, જીવન અમૃત , નહી તો કડવું ઝેર કહેવાય છે. મન હોય તો માળવે જવાય, મન રસ છે. ક્યારેક કડતું, તો ક્યારેક ખાટું, તો ક્યારેક મીઠું મધ જેવું ગળ્યું. પૂર્ણિમાના ચંદ્રની જેમ ન સોળે કળા ખિલ્યું હોય તો મન મોર બની થનગનાટ કરે, જો મન ઉદાસ હોય તો અમાસની અંધકારી રાત, 'માલા તો કરે મેં ફિરે, જીભ ફરે મુખમાય, મનવા તો દસ દિશા ફરે યહ તો સુમરિતનાકી' 'કબીર'. મન (રસ) ધ્યાનની માતા છે અને મન (ધ્યાન) સ્મૃતિની માતા છે.
જેનું મન મક્કમ હોય, સિધ્ધિ તેન જઈને વેરે છે. મન જેનું મરકટ હોય તેને હિમાલય પણ રોકી શકતો નથી. મનની મક્કમતાથી બાળક ધ્રુવે તપ કરીને. ભગવાનનો સાક્ષાત્કાર કર્યો. અવિચળ પદ પ્રાપ્ત કરી, હંમેશા અફાટ આકાશમાં કાયમ ચમકતા સિતારાનું સ્થાન મેળવ્યું. મનની દ્રઢતાથી અપમાનીત એકલવ્યે ગુરુની મૂર્તિ સાથે શિક્ષા પ્રાપ્ત કરી અજોડ બાણાવળી બન્યો. તેમજ મનની મક્કમતાથી હસતા મોંએ જમણા હાથનો અંગુઠો કાપી ગુરુ દક્ષિણા આપી. ઈતિહાસના પાને અમર નામના મેળવી. મનની એકાગ્રતાથી અર્જુને મત્સ્યવેધ કર્યો. પાંડવોનો જયજયકાર થયો. 'અર્ધદગ્ધ અને અનિર્ણિત મનની દુવિધામાં દોનો ગયે માયા મિલિના રામ.' પ્રચલિત છે.કુરૃક્ષેત્રના યુધ્ધના મેદાનમાં અર્જુન મનથી હારી બેસે છે. શ્રી કૃષ્ણને કહે છે કે મારાથી યુદ્ધ નહી થાય. મારું મન વિહવળ છે. કારણ કે તે હઠીલું છે. બળવાન છે. આથી મારા મનને વશ કરવાનું વાયુની જેમ દુષ્કર છે. તોફાની હવા અને મનને રોકવું બંને સમાન છે.
મનથી હારી બેઠેલા અર્જુનને શ્રીકૃષ્ણ પ્રેરણા આપે છે. બેશક તારું  મન ચંચળ છે. ઘણી મુશીબતે વશ થાય છે. પરંતુ હે! કૌન્તેય અભ્યાસ અને વૈરાગ્ય વડે તેને વશ કરી શકાય છે. મન દેવતા છે. મન ઈશ્વર છે. મન સૌનો આધાર છે. મનથી મોટું કાંઈ જ નથી પરંતુ હે અર્જુન તું મનથી ભાગી શકીશ નહીં. તારું મન  જ તને યુધ્ધ કરવા પ્રેરશે. કારણ કે ક્ષત્રિયવટ જે તારા મનનો રાજા છે એ વટ તને યુધ્ધ કરવા હુકમ કરશે. યુધ્ધ તારા લોહીમાં છે. માટે હે અર્જુન યુધ્ધ કરવા માટે મનથી મક્કમ થા. તારા માટે યુધ્ધ એ જ કલ્યાણ છે. હે અર્જુન જીતીશ તો પૃથ્વી ભોગવીશ નહિં તો સ્વર્ગ મળશે. હવે તો યુધ્ધ એ જ નિર્ધાર. મક્કમ, દૃઢમનથી અર્જુને યુધ્ધ કર્યું અને ઝળહળતો વિજય મેળવ્યો.
શરીર સંસ્કારોને આધિન છે. સંસ્કાર મન પર આધારિત છે. ગીતાજીએ કહ્યું છે મનઃ એવે મનુષ્યાણાં બાન્ધ મોક્ષયોં. મન જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ છે. ''જે મનુષ્યના બુધ્ધિરૃપ હોંશિયાર સારથી હોય લગામ પર જેનો કાબુ છે તે સંસારના દરેક માર્ગ પાર કરી શકે છે.'' પોતાના મનથી નક્કી કરેલ મંજીલ પર પહોંચે છે તે ચોક્કસ છે. મનમાં હોય તે જીત પર આવે. મનની વાત, કહેવી સાંભળવી અને લખવી ગમે છે.

શ્રીફળ


શ્રીફળ એટલે સર્વ સામાન્ય રીતે નારિયેળ. તેણે શ્રીફળ નામ કમાવ્યું છે. આજે સર્વ ધર્મકાર્યોથી પ્રારંભ કરી જીવનની અંતિમ સફર સુધી માનવને શ્રીફળનો સાથ છે. મોટા ભાગની ધાર્મિક ક્રિયાઓનો શુભારંભ શ્રીફળના બલિદાનથી થાય છે અને તેને જ શુભ પ્રારંભ અથવા મંગલ પ્રારંભ માનવામાં આવે છે.
શ્રીફળ આંતરસૌંદર્યનું દ્યોતક છે. શ્રીફળ એટલે ગુણપૂજન, ચારિત્ર્યપૂજન અને અંતઃસૌંદર્ય પૂજન. બાહ્ય સૌંદર્ય મળે કે ન મળે તે આપણા હાથની વાત નથી, પણ હું સુંદર થઈ શકું છું. આંતરસૌંદર્ય ખીલવી શકું છું, આ ભાવના શ્રીફળમાં અંતર્ગત છે. શ્રીફળને કેવળ બાહ્ય દૃષ્ટિથી જોશું તો બરછટ અને વિરૃપ લાગે. પરંતુ તે જ શ્રીફળની અંદર જોશું તો મીઠું પાણી અને પુષ્ટ કોપરુ દિસે છે. મહારાષ્ટ્રના સંતો ભગવાનને કહે છે, સુંદર મી હોણાર... તે કયું સૌંદર્ય? ટાપટીપવાળું કે પફ-પાવડર યુક્ત સૌંદર્ય બ્યુટીપાર્લરમાં મળે, જ્યારે પૂજનીય દાદાજી-પાંડુરંગશાસ્ત્રી પ્રેરિત સ્વાધ્યાય કેન્દ્રો આંતરસૌંદર્ય ખીલવે છે.
મહર્ષિ અષ્ટાવક્ર કુરુપ હતા. રાજા જનકના દરબારમાં પ્રવેશતાં જ  બધા પંડિતોને 'ચમાર' કહ્યા. અષ્ટાવક્રે પૂછયું, ''શું જે કેવળ બહારનું ચર્મસૌંદર્ય જ જુએ તે ચમાર નથી?'' આજે સમાજનો બહુજન વર્ગ આ ચર્મસૌંદર્ય પાછળ પડી ચારિત્ર્ય શિથીલ થયો છે. ત્યારે શ્રીફળ આપણને સૌંદર્યાસક્ત થવાને બદલે આંતઃસૌંદર્યોપાસક થવાનું શીખવે છે.
સાંસ્કૃતિક ઈતિહાસમાં શ્રીફળના બલિદાનથી મંગલાચરણ થયું. મંદિરમાં દેવ-દેવી સમક્ષ નારિયેળ વધેરવામાં આવે છે. તેજ રીતે યજ્ઞામાં પૂર્ણાહૂતિ સમયે શ્રીફળનો હોમ કરવામાં આવે છે. દસ હજાર વર્ષના ચડતાં પડતાં માનવવંશને જોઈએ તે પહેલાંના pre-pre historic કાળમાં યજ્ઞાાર્થ હિંસાને ધર્મ માનવામાં આવતો હતો. તેમાંય નરબલિદાન વિના યજ્ઞા પૂર્ણ જ ન થાય આવી કાંઈ કેટલીય માન્યતાઓ સામે ઋષિએ સંઘર્ષ કર્યો, ત્યારે જેણે સૌપ્રથમ પ્રાણાર્પણ કર્યું, તે એટલે શ્રીફળ, માનવમન અંતર્ગત આ ભાવનાને સાચવવા ઋષિઓએ તેને વિશ્વામિત્રે રચેલી પ્રતિસૃષ્ટિના નર એટલે કે નારિયેળનું બલિદાન આપવા સૂચન કર્યું. નારિયેળનું પણ માથુ, ચોટલી, નાક, બે આંખ વગેરે હોય  છે. આટલું અપૂરતું હોય તેમ બલિદાન વખતે લોહીનો છંટકાવ તો અનિવાર્ય છે, પરંપરા છે, તેવા આગ્રહ સમયે ઋષિએ કહ્યું, 'શ્રીફળને સિંદુર લગાડ'. નર હત્યા કે પશુ હત્યા ન થતી હશે તો હું મારું સર્વસ્વ આપવા તૈયાર છું. બલિદાનની આ ઉચ્ચતમ ભાવનાથી જ તેને શ્રીફળ નામ મળ્યું છે.
શ્રી એટલે વૈભવ, બાહ્ય વૈભવ કરતા મનોવૈભવ અધિકતર છે. પૂજનીય દાદાજીએ સાંસ્કૃતિક વારસાના સંવર્ધન માટે પોતાના લોહીનું ટીંપેટીંપુ આપ્યુ છે, તેથી જ તો આપણે આજે તે શ્રીફળનો સાંસ્કૃતિક અર્થ જાણી શક્યા છીએ.
સાંસ્કૃતિક બલિદાન અગ્રજ, આંતઃસૌંદર્યનું પ્રતીક તેમજ મનોવૈભવનો ત્રિવેણી સંગમ એટલે શ્રીફળ.

Wednesday 27 January 2016

કર્મની ગતિ ન્યારી છે'''''.....


કર્મ થકી માનવ જીવનનું ઘડતર થાય છે. જન્મથી મૃત્યુ સુધીના સમયગાળામાં થયેલા કર્મો જીવનનું મૂલ્ય ગણાય છે. કર્મ, અકર્મ અને વિકર્મ થકી જીવનની કિંમત થાય છે. આપણા શાસ્ત્રો પણ કર્મની સાક્ષી પૂરે છે. મહાભારતમાં દુર્યોધનના દુષ્કર્મો અને પાંડવોના સત્કર્મનો સાક્ષાત્કાર છે. સંતો, મહંતો અને ધર્મ ઉપદેશકોએ કર્મની ગતિ ન્યારી કહી છે. કારણ વિના કર્મ નથી અને કર્મ થકી કારણ ઉભું થાય છે. મૃગયા રમવાના કારણે દશરથ રાજાએ શ્રવણને મૃગ જાણીને બાણ માર્યું. શ્રવણના મૃત્યુ બાદ શાપના કારણે દશરથ રાજાને પુત્ર વિયોગે મરવું પડયું. કારણ વિના કર્મ નથી અને કર્મનું પરિણામ પણ કારણ હોય છે. સદ્વિચારો, સદાચાર અને નક્કર મનોબળથી લીધેલ નિર્ણય સારું જ પરિણામ આપે છે. શ્રી રામે વાલીને મારી નાખ્યો હતો તેના ફળસ્વરૃપે બીજા અવતારમાં શ્રી કૃષ્ણને પારધીના હાથે મરવું પડયું હતું. કર્મનો બદલો ચૂકવવો પડે છે.
રાજમહેલ પાસેથી એક સાધુ મહારાજ ભજનની એક લીટી ગાતા ગાતા જતા હતા ''કર્મની ગતિ છે ન્યારી...ન્યારી.'' રાજા સાહેબ આ લીટી વારંવાર સાંભળતા તેમના મનમાં કર્મની ગતિ જાણવાની ઇચ્છા થઈ. તેમણે સાધુ મહારાજને મહેલમાં બોલાવ્યા. કર્મની ગતિ જાણવા વિનંતી કરી એટલે સાધુ મહારાજે કહ્યું કે રાજા સાહેબ કર્મની ગતિ જાણવા માટે તમારે દૂર જંગલમાં જવું પડશે ત્યાં તમને પ્રત્યક્ષ અનુભવ થશે અને આ રહસ્ય સમજાશે તથા તમને ''તરત દાન એ મહાપુણ્ય છે.'' એ પણ સમજાશે રાજા સાહેબ દૂર જંગલમાં ચાલ્યા ગયા. અંધારું થતા નજીકમાં ઝૂંપડપટ્ટીમાં આશરો લીધો. એ ઝૂંપડીમાં ફક્ત પતિ- પત્ની જ રહેતા હતા પતિએ કહ્યું કે મહેમાન આવ્યા છે. જમવામાં ત્રણ રોટલા બનાવજે. પત્નીએ સ્વભાવ મુજબ બે રોટલા બનાવ્યા. પતિ ભૂખ્યો રહી રાજાને જમાડે છે.
રાત્રે જંગલમાં વાઘ-સિંહની બીકે મહેમાન (રાજા)ને ઝૂંપડીમાં સુવાડયા અને પતિ બહાર સૂતો. રાત્રે વાઘ આવ્યો અને પતિને મારી નાખ્યો. પત્નીએ રાજા પર આગળ મૂક્યો કે તારા કારણે મારો પતિ મૃત્યુ પામ્યો છે. પતિ સાથે પત્ની પણ બળી ગઈ. ત્યાંથી રાજા નગર તરફ જવા લાગ્યા. રસ્તામાં એક ભિખારણ બાઈને પ્રસૂતિ થઈ તે ભિખારણે તાજું જન્મેલ બાળકને ટોપલામાં નાખ્યું આ જોઈ રાજાને નવાઈ લાગી. નગરમાં પ્રવેશતા એક વિદ્વાન બ્રાહ્મણ મળ્યા તેમણે કહ્યું, ''રાજા સાહેબ, કર્મની ગતિ જાણવા આવ્યા છો તો સાંભળો અમારા નગરશેઠને ત્યાં પુત્રનો જન્મ થયો છે. તે જન્મ થયા પછી તરત જ કર્મ, અકર્મ, વિકર્મ અને પૂર્વજન્મની  વાતો કરે છે. હું તેમનો ગોરમહારાજ છું. રાજા સાહેબ તમે તેને મળજો. તમારી શંકાનું સમાધાન થઈ જશે.'' રાજા સાહેબ નગરશેઠના મહોલ્લામાં આવ્યા ત્યાં એક બાઈ ઝાડૂ લઈને સફાઈ કામ કરતી હતી. તેણે કહ્યું : ''રાજા સાહેબ, સામે દેખાય છે તે બંગલામાં નગરશેઠનો પુત્ર કર્મની ગતિ અને તરત દાનનો મહિમા જણાવે છે.
 આપ એ જાણવા આવ્યા છો.'' રાજા ત્યાં ગયા તો દૂરથી આવતા રાજાને જોઈ તાજું જન્મેલ બાળકે સ્વાગત કર્યું અને કહ્યું કે, ''કર્મની ગતિ અને તરત દાનનો મહિમા સાંભળો - જંગલની ઝૂંપડીમાં તમને જમાડીને પોતે ભૂખ્યો રહેનાર માણસ તથા રાત્રે તમારા માટે મરી જનાર માણસ બીજા અવતારમાં હું નગરશેઠને ત્યાં જન્મ્યો છું અને પોતે ધરાઈને જમનાર આરામથી ઝૂંપડીમાં સૂઈરહેનાર સ્ત્રીનો જન્મ તમે રસ્તામાં ભિખારણને ત્યાં થયોએ તમે જોયું છે. નગરમાં પ્રવેશતા તમને જે પંડિત મળ્યા તે આ નગરના વિદ્વાન પંડિત અહિયાના રાજગોર છે. ઘણાં વર્ષો પહેલા તમારો માનીતો અને તમામ શાસ્ત્રોનો જાણકાર તમારો પોપટ મરણ પામ્યો હતો તે બીજા જન્મે આ નગરમાં બ્રાહ્મણના ઘેર જન્મ્યો છે.
ઝાડૂ લઈને આ નગરમાં સાફ-સફાઈ કરનાર બાઈ એ તમારી માનીતી દાસીનો અવતારછે. શાસ્ત્રોની વાતો અને બ્રહ્મમુહૂર્તમાં સૌને જગાડનાર અનેક મંત્રોચ્ચાર કરનાર તમારા પોપટ માટે તમે સારું ભોજન મોકલતા હતા પરંતુ આ દાસી તેમાંથી ખાવાનું ચોરી લેતી હતી તેના મરણ પછી બીજા અવતારમાં આ નગરને સાફ સફાઈ કરનારને ત્યાં જન્મી.'' આ સાંભળીને રાજાને કર્મની ગતિ અને તરતદાન મહાપુણ્ય વિશે સમજાઈ ગયું. કર્મ માણસના જન્મ અને બંધનનું કારણ છે. કર્મ થકી માણસ મહાન બને છે, દેવ બને છે અને દાનવ પણ બને છે.

Sunday 24 January 2016

સૂર્યનારાયણની ઉપાસના ''''''.....

સંસ્કૃતમાં એક શ્લોક છે,
'આદિદેવ નમસ્તુભ્યં પ્રસીદ મમ ભાસ્કર ।
દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમો સ્તુતે ।।
જેનો અર્થ થાય છે,
''હે આદિદેવ સૂર્યનારાયણ ! આપને હું નમસ્કાર કરૃં છું. હે દિવ્ય પ્રકાશ આપનાર દેવ. આપ પ્રસન્ન થાઓ. હે દિવાકર, પ્રકાશિત દેવ, આપને હું પ્રણામ કરું છું.
પ્રતિદિન પૂર્વાકાશમાં પરોઢિયે સૂર્યનારાયણનાં આગમન સાથે ધરતી પર રાત્રિનો ઘોર અંધકાર વિદાય લઇ, નવી આશાઓનો સંચાર સાથે, નવલું પ્રભાત ઉદય પામતું હોય છે. સૂર્યોદય સમયની સોનેરી સવાર કેટલી રળિયામણી લાગતી હોય છે ! તો એની સાથે પંખીઓના મધુર કલરવનું સંગીત, શીતલ પવનની મંદ મંદ વહેતી લહેરીઓ, અને આકાશમાંની રંગબેરંગી રંગોળી, પૂર્વમાંના સૂર્ય ભગવાનનું સ્વાગત કરી અભિવાદન કરે છે.
ભારતની સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી આપણે સૂર્ય દેવતાની ઉપાસના કરતા આવ્યા છીએ. આપણા અનેક આરાધ્યદેવો સુક્ષ્મ સ્વરૃપે આપણી આસપાસ કે દેવસ્થાનોમાં જોવાય છે. પણ સાકાર સ્વરૃપે માત્ર એક સૂર્ય નારાયણ કરોડો વર્ષથી આપણને આંગણે દર્શન આપે છે. વેદકાલીન સંસ્કૃતિમાં સૂર્ય દેવની આરાધનાનું વિશેષ મહત્વ જોવા મળે છે.
આ પૃથ્વીનાં ગ્રહ પર સૂર્યની શક્તિ ધ્વારા જીવનનો સંચાર થતો હોય છે. એટલે જ તો સૂર્યને આદિનારાયણનું બિરૃદ આપવામાં આવ્યું છે. આપણા સૌના પ્રાણદાતા એવા સૂર્યભગવાનની અનેક મંત્ર પુષ્પાંજલિઓથી દર સુપ્રભાતે પૂજા- અર્ચન કરવાથી તેઓ પ્રસન્ન થાય છે.
આ ભૂ:ભૂવ અને સ્વ:ના વરેણ્ય સવિત દેવને આપણા પ્રાચીન કાળના ઋષિ- મુનિઓ બાર ઉપનામોથી સંબોધતા હતા. એવા એ પ્રકાશના પૂંજ સમાસૂર્યનારાયણના બાર નમસ્કાર મંત્રો પણ કેટલા તેજસ્વી અને પ્રભાવશાળી છે. જેમ કે...
(૧) ૐ  મિત્રાય નમ:
(૨) ૐ રવયે નમ:
(૩) ૐ સૂર્યાય નમ:
(૪) ૐ ભાનુવ નમ:
(૫) ૐ ખગાય નમ:
(૬) ૐ પુષ્ણે નમ:
(૭) ૐ મરીચયે નમ:
(૮) ૐ હિરણ્ય ગર્ભાય નમ:
(૯) ૐ આદિત્યાય નમ:
(૧૦) ૐ સવિત્રે નમ:
(૧૧) ૐ અકાપ નમ:
(૧૨) ૐ ભાષ્કારાય નમ: